પ્રમુખશ્રીનો સમાજને સંદેશ

આત્મીય સ્નેહીજનો,
જય જીનેન્દ્ર

આપણાં સુખ, શાંતિ, સલામતી માટે સમાજ અનેક વ્યવસ્થાઓ અને સેવાઓ પ્રદાન કરે છે. એથી આપણું જીવન સફળ સરળ બને છે. વી.બી.સી. સમાજના વડીલોની સુખાકારી માટે શું કરી શકે એનું સતત ચિંતન થવું મને જરૂરી લાગે છે. વડીલ વંદના ના આયોજકો પણ આ બાબત પર વિચાર વિમર્સ કરે એ અપેક્ષિત છે.

વડીલોનું આપણા પર ઋણ છે. અનેક કષ્ટો વેઠીને તેમણે આપણાં માટે સુખની કેડી કંડારી છે. તેમને સાચવવા, તેમને આનંદ અનુકુળતા આપવા તે તેમની ઋણમુકિતનો એકમાત્ર ઉપાય છે.

આપણને વડીલોના અનુભવની સદાય ખપ પડવાની છે. મુલ્યો વચ્ચે રહી મૂલ્યવાન જીવન જીવનાર વડીલો સમાજની સૌથી મોટી મૂડી છે. તેમના પુણ્યો અને આર્શીવાદ થકી જ આપણું જીવન રોશન છે.
વડીલોને સાધનોથી વધારે લાગણી અને હૂંફની જરૂર છે. તેમનું જીવન સ્વસ્થ-સમતોલ-મધુર બને તેવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીએ તો આ દિશામાં ઉતમ કાર્ય થઇ શકે તેમ છે.

વયસ્કતાના મહિમાને ઘ્યાનમાં રાખી વાગડ સંસ્કાર ટીમના વડીલ વિશેષાંક ને હું હર્ષ સાથે આવકારું છું.

કિર્તીભાઈ કેશવલાલ સંઘવી
પ્રમુખશ્રી